આપણે બધા જાણીએ છીયે કે ઇલાયચી એટલે ખુશ્બૂનો ખજાનો છે. દરેક ઘરના રસોડામાં મસાલા સ્વરૂપે ઉપયોગમાં લેવાતી નાની ઇલાયચી સ્વાસ્થ્યથી ભરપૂર હોય છે. ઇલાયચીનું સેવન તમારા માટે ફાયદાકારક રહે છે. મોટાભાગના લોકો તેનો ઉપયોગ સ્વાદિષ્ટ મસાલા સ્વરૂપે જ કરે છે અને તેના સેવનથી સ્વાસ્થ્યને થતાં ફાયદાઓ વિશે અજાણ રહે છે.
અહી જાણો, ઇલાયચીથી થતાં વિશેષ ફાયદાઓ :
(1) ઇલાયચી કબજિયાતથી રાહત અપાવે છે :
કબજિયાત એટલે બીમારીનું ઘર માટે દરેકનો પ્રયત્ન રહે છે કે તેમને કબજિયાતની સમસ્યા ન રહે. જો તમને કબજિયાત હોય તો નાની ઇલાયચીનું સેવન અથવા નાની ઇલાયચીને પકાવીને તૈયાર કરવામાં આવેલ પાણીનું સેવન તમને લાભ અપાવી શકે છે. આ તમારી પાચન ક્રિયાને તંદુરસ્ત રાખીને કબજિયાતથી રાહત અપાવે છે.
(2) ઉલ્ટીની સમસ્યામાં રાહત આપે :
ઘણા લોકોને મુસાફરી દરમ્યાન ઉલ્ટી થવાની સમસ્યા રહે છે. તો મુસાફરી શરૂ કરતાં પહેલા ઇલાયચીનું સેવન તમને આ સમસ્યાથી રાહત અપાવશે. જો તમને લાગી રહ્યુ છે કે મુસાફરી દરમિયાન સતત ઉલ્ટીની સમસ્યા થઇ શકે છે તો તમે આખી મુસાફરી દરમિયાન નાની ઇલાયચી મોંઢામાં મુકી રાખો.
(3) મોંઢાની દૂર્ગંધને દૂર કરે છે :
જો તમારા મોંઢામાંથી સખત દુર્ગંધ આવે છે અને લોકો પોતાની વાત કરવામાં સંકોચ કરે છે તો તમે એક ઇલાયચી પોતાના મોંઢામાં રાખી શકો છો. નાની ઇલાયચી સ્વાદ વધારવાની સાથે જ માઉથ ફ્રેશનરનું પણ કામ કરે છે. તેને ખાવાથી મોંઢામાંથી આવતી દૂર્ગંધની સમસ્યાથી રાહત મળે છે.
(4) એસિડિટીથી રાહત અપાવે છે :
ઇલાયચીમાં તેલ હોવાથી ઇલાયચીમાં રહેલ એસેન્શિયલ ઑઇલ પેટની અંદરની લાઇનિંગને મજબૂત કરે છે. એસિડિટીની સમસ્યામાં પેટમાં એસિડ જમા થઇ જાય છે. ઇલાયચીના સેવનથી તે ધીમે-ધીમે દૂર થઇ જાય છે.
(5) વજન ઘટાડવામાં મદદ કરે :
જો તમે વધતા વજન અને મોટાપાથી પરેશાન છો તો એવામાં પોતાના ડાયેટમાં ઇલાયચીને જરૂર સામેલ કરો. ઇલાયચીમાં રહેલા પોષક તત્ત્વ ઝડપથી ઘટાડવામાં મદદ કરે છે.
(6) અસ્થમામાં અસરકારક રહે :
ઇલાયચી શ્વાસની બીમારીમાં પણ ઘણી ફાયદાકારક હોય છે. કારણ કે ઇલાયચીની તાસીર ગરમ હોય છે. એટલા માટે શિયાળાના દિવસોમાં એક અથવા બેવાર ચાવીને અથવા ભોજનમાં મિક્સ કરીને તેનું સેવન કરવું જોઇએ. ફેફસાંને સંકોચન અને અસ્થમામાં પણ અસરકારક સાબિત થઇ શકે છે ઇલાયચી.
(7) તણાવ મુક્ત રાખે છે :
મોટાભાગે જો તમે તણાવમાં રહો છો તો ઇલાયચીનું સેવન તમારા માટે ગુણકારી સાબિત થશે. ઘણીવાર થાય છે કે તમે એકલા છો અને વધારે તણાવથી પસાર થઇ રહ્યા છો તો એવામાં બે ઇલાયચી મોંઢામાં નાંખીને ચબાઓ. ઇલાયચી ચાવવાથી હૉર્મોનમાં તરત ફેરફાર થાય છે અને તમે તણાવથી મુક્ત થઇ જાઓ છો