નાના-મોટા ઝઘડા તો દરેક દંપત્તિ વચ્ચે થતા હોય છે. પરંતુ જ્યારે આવી રકજક રોજની થઈ જાય ત્યારે ઘર તુટતાં સમય નથી લાગતો. પતિ-પત્ની વચ્ચે થતાં ઝઘડાઓનું કારણ ક્યારેય ગ્રહની બદલાયેલી સ્થિતી પણ હોય શકે છે. જ્યારે ઘરમાં નાની વાતનું પણ વતેસર થવા લાગે ત્યારે સમજવું કે તમારે સમય રહેતાં જ આ સમસ્યાનું નિરાકરણ લાવવાની જરૂર છે અને આ કામમાં તમને મદદ કરશે આ સરળ ઉપાય.
શુક્રવારે લક્ષ્મી નારાયણને રસવાળી મીઠાઈ ધરાવો. આ પ્રસાદને પતિ-પત્નીએ એકબીજાને ખવડાવવી.
ગુરુવારે કોઈપણ ચાર રસ્તા પર આવેલા પીપળા નીચે શુદ્ધ ઘીનો દીવો કરવો અને ત્રણ પ્રકારની મીઠાઈ ધરવી.
પાણીમાં ગોળ પધરાવવો અને પછી તેનાથી સૂર્યને અર્ધ્ય આપો. દાંપત્યજીવનમાં મધુરતા છવાયેલી રહેશે.
પતિને રોજ કેસરવાળું દૂધ પીવડાવવું અને પત્નીએ હાથ ખાલી ન રાખી અને સોનાની બંગડી પહેરવી.
રૂમમાં રાધાકૃષ્ણની સુંદર છબી લગાવવી. તેનાથી પ્રેમમાં વૃદ્ધિ થાય છે.
રવિવારે રાત્રે થોડું સિંદૂર લઈ પતિની સૂવાની જગ્યાએ છાંટી દેવું. સવારે પત્નીએ નહાઈને તેમાંથી થોડું લઈ અને સેંથામાં પૂરી લેવું.
ગોમતી ચક્રને સિંદૂરની ડબ્બીમાં રાખવાથી પતિ-પત્નીના ઝઘડા બંધ થઈ જશે.
ઘરમાં રોજ અથવા અઠવાડિયામાં એકવાર પાણીમાં નમક ઉમેરો અને તેનાથી ઘરમાં પોતાં કરવા.