કેળા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં ઘણા પોષક તત્વો હોય છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તે શરીરની ભૂખને ભાંગે છે અને ચરબી ઘટાડે છે, કારણ કે તેમાં સ્વસ્થ ફેટ હોય છે જે આપણા શરીરમાં જામતો નથી અને વજન વધારે છે, પરંતુ સ્થૂળતાને દૂર કરે છે. ફક્ત તેને ખાવાની સાચી રીત અને સમયની જાણ હોય તો કેળા ખુબજ ફાયદાકારક છે.
લોકો સવારે ઓફિસ જવાની ઉતાવળમાં ખાલી પેટ કેળા ખાય છે, કારણ કે તેઓને લાગે છે કે તે એનર્જાથી ભરપૂર ફળ છે અને તેમને આખો દિવસ કેળા ખાધા પછી કામ કરવાની ઉર્જા મળશે, પરંતુ નિષ્ણાતો કહે છે કે કેળા ખાલી પેટ ખાવાથી સ્વાસ્થ્ય સંબંધિત ઘણું નુકસાન થઈ શકે છે. ચાલો જાણીએ તેમના વિશે …
કેળાનું ખાલી પેટ સેવન પાચન માટે યોગ્ય નથી
પોટેશિયમ, ફાઈબર અને મેગ્નેશિયમ કેળામાં પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે, પરંતુ તે જ સમયે ફળ એસિડિક હોય છે અને નિષ્ણાતો સૂચવે છે કે ખાલી પેટ પર એસિડિક ખોરાક લેવાથી પાચનની સમસ્યાઓ થઈ શકે છે. તેથી ખાલી પેટે કેળાનું સેવન બિલકુલ ન કરો.
ખાલી પેટ કેળું હૃદય માટે હાનિકારક
પોટેશિયમ અને મેગ્નેશિયમ કેળામાં વધુ પ્રમાણમાં જોવા મળે છે, જો ખાલી પેટ પર તેનું સેવન કરવામાં આવે છે, તો પછી આ બંને પોષક લોહીમાં વધારે પ્રમાણમાં હોઈ શકે છે, જે હૃદયને નુકસાન પહોંચાડે છે. તો ખાલી પેટે કેળા ખાતા પહેલા વિચારો.
ખાલી પેટે કેળા ખાવાથી થાક અને સુસ્તી થઈ શકે છે
જો તમને લાગે છે કે કેળા ખાવાથી તમને દિવસની એનર્જા મળશે, તો તમે બરોબર છો, પણ ખાલી પેટે નહીં, કેમ કે ખાલી પેટે કેળા ખાવાથી ત્વરિત અનર્જી તોમળશે, પરંતુ તે ક્ષણિક રહેશે. તમે ટૂંક સમયમાં થાક અને સુસ્તી અનુભવવાનું શરૂ કરશો અને ફરીથી ભૂખ્યા થશો. તેથી સવારના નાસ્તામાં કેળાને શામેલ કરવું વધુ સારું છે, પરંતુ ખાલી પેટે કેળુ બિલકુલ ખાવું નહીં.
રાત્રે સુતા પહેલા કેળા ખાવા જોઈએ?
મોટાભાગના લોકો રાત્રે સૂતા પહેલા કેળા ખાય છે, જ્યારે આ ન કરવું જોઈએ, કારણ કે રાત્રે કેળા ખાવાથી તમે બીમાર થઈ શકો છો. તેનાથી તમને કફની સમસ્યા થઈ શકે છે.