લગ્ન દરેકના જીવનમાં ખાસ મહત્વ ધરાવે છે. જીવનમાં બધાનો એક સમય એવો આવે છે જયારે લગ્ન કરવા પડે છે. ખાસ કરીને છોકરીયુંના લગ્ન નાની ઉંમરમાં કરી દેવામાં આવે છે. ભારતીય પેરેન્ટ્સનું માનવું છે કે છોકરીયું જેટલી જલ્દી સેટલ થાય જાય એટલું વધુ સારું.
બોલીવુડમાં પણ ઘણી એવી અભિનેત્રી છે જેની લગ્નની ઉંમર તો થઇ ગઈ છે પરંતુ આજે પણ તે કુંવારી છે. કદાચ સાચો પ્રેમ ન મળવાના કારણે આ અભિનેત્રીઓએ આજસુધી લગ્ન નથી કર્યા. આજે અમે તમને આ લેખમાં એવી અભિનેત્રીઓ વિશે જણાવા જઈ રહ્યા છીએ જે સાચો પ્રેમ મેળવવાના ચક્કરમાં કુંવારી જ રહી ગઈ.
પરવીન બોબી :
પરવીન બોબી 70-80 ના દશકની સફળ અભિનેત્રી હતી. પરવીન બોબીનું નામ ઘણા લોકો સાથે જોડાયું હતું પરંતુ તેને ક્યરેય કોઈ સાથે લગ્ન ન કર્યા. રીપોર્ટ અનુશાર, તે મહેશ ભટ્ટને ખુબ જ પ્રેમ કરતી હતી પરંતુ તેના લગ્ન થઇ ગયા હોવાથી તેની સાથે લગ્ન કરી શકે તેમ નહોતી. આ કારણથી પરવીન બોબી જીવનભર કુંવારી રહી.
તબ્બુ :
મીડિયા અનુસાર તબ્બુની સગાઇ સાજીદ નડિયાદવાલ સાથે થઇ હતી. જો કે આ ખબરની સચ્ચાઈ તો જનતા નથી પરંતુ આજે 45 ની ઉંમરે પણ તબ્બુ કુંવારી છે. જણાવી દઈએ કે સાજીદ નડિયાદવાલ ફિલ્મ નિર્માતા છે. એવું જાણવા મળે છે કે તબ્બુ બોલીવુડના સિંઘમ એટલે કે અજય દેવગણના પ્રેમમાં હતી પરંતુ કાજોલના કરને અજયે તબ્બુને છોડી દીધી, બસ આજ કારણથી તબ્બુએ આજે 45 વર્ષે પણ લગ્ન નથી કર્યા. ‘
સુષ્મિતા સેન :
પૂર્વ મિસ યુનિવર્સ અને એક્ટ્રેસ સુષ્મિતા સેન 43 વર્ષની ઉંમરે આજે પણ કુંવારી છે. તેને બે દીકરીઓને ગોદ લીધી છે અને આજે તેની સાથે જ રહે છે. હાલમાં સુષ્મિતા તેનાથી 15 વર્ષ નાના મોડલ રોહમાન શાલ ને ડેટ કરી રહી છે, અને જાણવા મળેલ માહિતી મુજબ બન્ને જલ્દી લગ્ન પણ કરવા જઈ રહ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે ભવિષ્યમાં સુષ્મિતા તેનાથી 15 વર્ષ નાના રોહમન સાથે લગ્ન કરશે કે નહિ?
સુરૈયા :
સુરૈયા તેના જમાનાની પોપ્યુલર અભિનેત્રી અને સિંગર હતી. એક સમયે અભિનેત્રી સુરૈયા અને દેવાનંદ ના પ્રેમની ચર્ચા ખુબ જ પોપ્યુલર હતી. મીડિયા રીપોર્ટ અનુસાર સુરૈયાની નાની માં દેવાનંદને પસંદ કરતી ન હતી તેથી તેના લગ્ન થયા નહિ અને સુરૈયા જીવનભર કુંવારી રહી ગઈ. જણાવી દઈએ કે ફિલ્મ ‘જીત’ના સેટ પર દેવાનાને સુરૈયાને હીરાની વીતી પહેરાવીને પ્રપોઝ કર્યું હતું.
અમીષા પટેલ :
અમીષા પટેલે તેના ફિલ્મ કરિયરની શરૂઆત વર્ષ 2000 માં ફિલ્મ, ‘કહો ના પ્યાર હૈ’ થી કરી હતી અ ફિલ્મ બાદ તે ફરી એક સુપરહીટ ફિલ્મ ‘ગદર- એક પ્રેમ કથા’ માં જોવા મળી હતી. પરંતુ ત્યારબાદ તેનો સિક્કો વધુ ચાલ્યો નહિ. આજે અમીષાની ઉંમર 40 ઉપર થઇ ચુકી છે પરંતુ આજે પણ તે કુંવારી છે. જણાવી દઈએ કે અમીષા ડાયરેક્ટર વિક્રમ ભટ્ટ સાથે અફેરની ચર્ચામાં આવી હતી, પરંતુ વિક્રમના લગ્ન થઇ ગયા હોવાથી તેની સાથે લગ્ન કરી શકી નહિ…