સાળંગપુર ધામમાં 54 ફૂટની હનુમાનજીની વિરાટ મૂર્તિ થઈ સ્થાપિત, 7 km દૂરથી થઇ શકશે દાદાના દર્શન…

મંદિરની પાછળ 1 લાખ 35 હજાર સ્કવેર ફૂટ વિસ્તારમાં આ પ્રોજેક્ટ આકાર પામશે. દક્ષિણ મુખે હનુમાનજીની વિશાળ મૂર્તિ મુકવામાં આવી. 62 હજાર સ્ક્વેર ફૂટમાં બે મોટા ગાર્ડન બનાવવામાં આવ્યા.

ગાર્ડનમાં એક સાથે 12 હજાર લોકો બેસી શકશે. 11,900 સ્કવેર ફૂટમાં સ્ટેપ વેલ બનાવવામાં આવશે અને લાઇટ, સાઉન્ડ અને ફાઉન્ટેનનો રોમાંચ માણી શકાશે. 1500 લોકોની ક્ષમતા વાળુ એમ્ફીથિયેટર બનાવવામાં આવશે.

હનુમાનજીની પ્રતિમા કષ્ટભંજનદેવ મંદિરના પરિસરમાં 54 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત થઈ જે 30 હજાર કિલોની પંચધાતુની મૂર્તિ છે.

અંદરનું સ્ટ્રક્ટર સ્ટીલનું બનેલું છે જેથી ભૂંકપના મોટા ઝાટકાની પણ કોઇ અસર નહી થાય. પંચધાતુની થિકનેસ 7.0mm 5 હજાર વર્ષ સુધી મૂર્તિ અડીખમ રહેશે 3D પ્રિન્ટર,3D રાઉટર અને CNC મશીનનો કરાશે ઉપયોગ.

હનુમાન દાદાની મૂર્તિ રાજસ્થાનના નરેશભાઇ કુમાવત મૂર્તિ બનાવે છે. માનેસરમાં મૂર્તિ બની રહી હતી, 6 મહિનાથી બની રહી હતી આ મૂર્તિ. જે અત્યારે સ્થાપિત કરવામાં આવી છે.

Back To Top