કાચા કેળા ઔષધિઓનો ભંડાર ગણાય છે, જાણી લો તેના ફાયદાઓ…

ફળ ખાવા આપણા માટે ઘણા ફાયદાકારક છે. અને એના વિષે આપણને થોડી ઘણી માહિતી પણ છે. જયારે કોઈ બીમાર હોય ત્યારે ડોક્ટર પણ ફળ ખાવાની સલાહ આપે છે. કારણ કે તે શરીરને સ્વસ્થ કરવામાં મદદ કરે છે. આ બધા ફળો માંથી આપણે રોજીંદા જીવનમાં કેળા, સફરજન, સંતરા વગેરેનો વધારે ઉપયોગ કરીએ છીએ.

એમાંથી કેળા સૌથી વધારે ખાતા હોઈએ છીએ, જે સ્વાદમાં ખૂબ જ મીઠા હોય છે અને બારેમાસ મળી રહે છે. કેળાંના ગુણ ઘણા સારા હોય છે. કેળા, તેના પાન અને તેના મૂળ દરેક વસ્તુઓ વિવિધ પ્રકારની ઔષધિ બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવે છે.

મિત્રો શું તમે જાણો છો કે કાચા કેળામાં પણ વિવિધ પ્રકારના ઔષધીય ગુણો હોય છે. કાચા કેળાનું સેવન કરીને તમે પણ વિવિધ પ્રકારની બીમારીઓથી દૂર રહી શકો છો.

જો દક્ષિણ ભારત તરફ પ્રવાસ કરવામાં આવે તો જાણવા મળશે કે એ વિસ્તારમાં કેળાના પાનનો ઉપયોગ રસોઈ પીરસવા માટે પણ કરવામાં આવે છે. ત્યાં થાળીની જગ્યાએ કેળાના પાનનો વધારે માત્રામાં ઉપયોગ થાય છે. તેમજ એનું ધાર્મિક મહત્વ પણ ઘણું છે.

ભારતમાં કેળાના પાનને ઘણા શુભ માનવામાં આવે છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે કેળાના પાન, ફૂલ અને તેના મૂળની અંદર અનેક પ્રકારના ઔષધીય ગુણો રહેલા હોય છે. જેના કારણે કોઈ પણ વ્યક્તિ પોતાની અનેક બીમારીઓને દૂર કરી શકે. તો આજે અમે તમને જણાવીશું કાચા કેળાના કારણે તમારા સ્વાસ્થ્યને થતા લાભ વિશે.

આજના સમયમાં લગભગ દરેક ઘરમાં કોઈ એક એવો સભ્ય મળી આવે છે, જે ડાયાબિટીસની સમસ્યાથી પીડિત હોય છે. પણ હવે એમણે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે કેળાનું સેવન કરવાથી આ બીમારી પણ દૂર થાય છે.

જણાવી દઈએ કે જો સંતુલિત માત્રામાં કાચા કેળાનું સેવન કરવામાં આવે, તો તે કોઈપણ વ્યક્તિ માટે લાભકારી સાબિત થાય છે. રિસર્ચમાં જાણવા મળ્યું છે કે કાચા કેળાની અંદર રહેલો ગર્ભ અનેક પ્રકારની બીમારીઓને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે. એના સિવાય કાચા કેળાનો પાઉડર પણ અનેક પ્રકારની બીમારીઓને દૂર કરવામાં મદદગાર સાબિત થયો છે.

 

કાચા કેળામાં ખૂબ વધારે પ્રમાણમાં ખનિજ અને વિટામીન મળી આવે છે. કાચા કેળામાં વિટામિન A અને વિટામિન C પણ હોય છે. કાચા કેળા માનવ શરીરને જરૂરી વિટામીન્સ અને મીનરલ્સ પૂરા પાડે છે. જો તમારા પેટમાં કૃમિ હોય તો કાચા કેળાના પાવડરનું સેવન કરવાથી એ બધા જ કૃમિ દૂર થઈ જાય છે. કાચા કેળાની અંદર 0 % કોલેસ્ટ્રોલ હોય છે. તો પછી એનુ સેવન કરવાથી કોલેસ્ટ્રોલની સમસ્યા તો રહેતી નથી.

જે લોકોને લોહીની ઉલટી કે ઝાડા અથવા હરસની સમસ્યા હોય, તેના માટે કાચા કેળાનો રસ એક ઉત્તમ ઈલાજ છે. એના માટે એક ગ્લાસ પાણીમાં એક ચમચી જેટલો કાચા કેળાનો રસ મિક્સ કરીને તેને ૨૦ મિનિટ સુધી ઉકાળો. ત્યારબાદ ઠંડુ થયા દઈ, અડધો કપ જેટલું દિવસમાં ત્રણથી ચાર વાર તેનું સેવન કરો. આ રસ અનેક પ્રકારની સમસ્યાઓમાં તમને લાભદાયી થશે. આ મિશ્રણનો સ્વાદ વધારવા માટે તમે તેની અંદર લીંબુનો રસ મિક્સ કરી શકો છો

 

Back To Top