આજકાલ મોટાભાગના લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. દુનિયાથી બેખબર સ્માર્ટફોનનો ઉપયોગ કરનારા લોકો દરેક સમયે પોતાના કાનમાં ઈયરફોન લગાવી રાખે છે. જો તમે પણ આવુ કરી રહ્યા છો તો ચેતી જજો કારણકે ઇયરફોનનો વધુ પડતો ઉપયોગ કરવાથી તમારા કાનમાં બહેરાશ આવે છે. તો જાણો ઇયરફોનના ઉપયોગથી થનારા નુકશાન વિશે…
1. ઓછુ સંભળાવવુ
બધા ઇયરફોનમાં હાઈ ડેસીબલ વેવ્સ હોય છે. જેનો ઉપયોગ કરવાથી તમે કાયમ માટે સાંભળવાની ક્ષમતા ગુમાવી શકો છો. તેથી 90 ડેસીબલથી વધુ અવાજમાં ગીત ન સાંભળો.
2. મગજ પર ખરાબ અસર
ઇયરફોનથી લાંબા સમય સુધી ગીતો સાંભળવાથી મગજ પર ખરાબ પ્રભાવ પડે છે. જેનો મતલબ છે કે તમારે આ ગંભીર સમસ્યાઓથી બચવા માટે ઇયરફોનનો ઓછામાં ઓછો વપરાશ કરવો જોઈએ.
3. ઇન્ફેક્શનનો ભય
ઇયરફોન દ્વારા લાંબા સમય સુધી ગીતો સાંભળવાથી કાનમાં ઇન્ફેક્શન થઈ શકે છે. જ્યારે પણ કોઇની સાથે ઇયરફોન શેયર કરો તો ત્યારબાદ સેનિટાઈઝરથી સાફ જરૂર કરો. ડોક્ટરો મુજબ ઇયરફોનના ઉપયોગથી કાનમાં અનેક પ્રકારની સમસ્યા થઈ શકે છે. જેવુ કે કાનમાં છન છનનો અવાજ આવવો.. સનસનાહટ માથુ અને કાનમાં દુખાવો વગેરે.
4. હ્રદય રોગ અને કેન્સર
મોટા અવાજમાં ગીતો સાંભળવાથી માનસિક સમસ્યાઓ, હ્રદય રોગ અને કેન્સરનો પણ ખતરો વધી જાય છે.
5. બહેરાશની સમસ્યા
ઇયરફોનનો સતત ઉપયોગ કરવાથી સાંભળવાની ક્ષમતા પર તેની ખરાબ અસર પડે છે. આનાથી સાંભળવાની ક્ષમતા 40થી 50 ડેસીબલ સુધી ઓછી થઈ જાય છે. કાનના પડદા વાઈબ્રેટ થવા લાગે છે અને દૂરનો અવાજ સાંભળવામાં પરેશાની થાય છે.