આપણા સારા સ્વાસ્થ્ય માટે ફ્રુટ હંમેશાથી સારા માનવામાં આવે છે. ફ્રુટથી માણસના શરીરને ઘટતા દરેક પોષક તત્વ મળે છે, ત્યારે આજે આપણે વાત કરી રહ્યા છીએ વિદેશી અને હવે ભારતમાં પણ ખૂબ જ પ્રખ્યાત ડ્રેગન ફ્રૂટની. આ ફળ હેલ્થ માટે ખૂબ જ સારો સ્ત્રોત છે અને તે સાથે જ તેમાં ઘણા બધા પોષક તત્વ પણ હોય છે. જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
ડ્રેગન ફ્રૂટના ફાયદા
આ ફ્રુટનું દરરોજ સેવન કરવાથી તમે એક્ટિવ રહેશો. ડ્રેગન ફ્રુટ્સમાં સારા પ્રમાણમાં એન્ટી-ઓક્સિડેન્ટ્સ, વિટામિન સી, પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ હોય છે. જે તમારા મેટાબોલિજ્મ માટે શ્રેષ્ઠ છે. તે સાથે જ વિટામિન બી હોય છે જે તમારા મગજને પણ શાંત કરે છે. તે
નાથી તમારુ સ્વાસ્થ્ય પણ ખૂબ સારુ રહે છે અને તમારા શરીરને કેલ્શિયમ પણ આપે છે. ડ્રેગન ફ્રૂટ કેક્ટસ ફ્રૂટના નામથી પણ ઓળખાય છે. જે જોવામાં ડ્રેગનની જેમ હોય છે. તેથી તેનુ નામ ડ્રેગન ફ્રૂટ રાખવામાં આવ્યુ છે. એવામાં ચાલો જાણીએ તમારા શરીરને આ કેવી રીતે મદદ કરી શકે છે.

કોલેસ્ટ્રોલને રાખે છે કંટ્રોલમાં
ડ્રેગન ફ્રૂટ કોલેસ્ટ્રોલ માટે ખૂબ જ સારુ હોય છે. તેને ડાયટમાં સામેલ કરવાથી દિલને સ્વસ્થ બનાવી રાખવામાં મદદ મળે છે. તેના બીજોમાં ઓમેગ-3, ઓમેગા-6, ફેટી એસિડ અને પોલીઅનસેચુરેટેડ ફેટ્સ હોય છે જે તમારા સ્વાસ્થ્ય માટે સારુ હોય છે.
ઈમ્યૂનિટી સિસ્ટમને બૂસ્ટ કરવામાં મદદ
ડ્રેગન ફ્રૂટમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન સી હોય છે. જેનાથી તમારી ઈમ્યૂન સિસ્ટમ બૂસ્ટ થાય છે. જેનાથી શરીરને ઘણા સંક્રમણ અને બીમારીઓથી બચવામાં મદદ મળે છે. ડ્રેગન ફ્રૂટમાં ઉચ્ચ પ્રમાણમાં તમારા શરીરમાંથી હાનિકારક વિષાક્ત પદાર્થોને બહાર કાઢવામા મદદ કરે છે. જેમાં આયરન અને ફાયબર હોય છે જે તમને સ્વસ્થ બનાવી રાખે છે.
કેન્સરથી કરશે બચાવ
ડ્રેગન ફ્રૂટમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ ફ્રી રેડિકલ્સથી થતા કેન્સર સેલ્સના ઉત્પાદનને રોકવામાં મદદ કરી શકે છે. આ ફળમાં હાજર ક્રોટીન એન્ટી-કાર્સિનોજેનિક ગુણથી ભરપૂર હોય છે જે ટ્યૂમરના ખતેનો ઓછું કરવામાં મદદ કરે છે.
બ્લડ શુગર માટે ખૂબ જ સારો સ્ત્રોત
ડ્રેગન ફ્રૂટમાં ફાયબરની મોટી પ્રમાણમાં હોવાને કારણે ડાયાબિટિઝને નિયંત્રિત કરવામાં મદદ મળે છે. કારણ કે, આ ડાયાબિટિઝના રોગીઓમાં શુગરના લેવલને સ્થિર કરે છે અને શુગર સ્પાઈક્સને રોકવામાં મદદ કરે છે.
ડાઈઝેટ સિસ્ટમમાં પણ થશે સુધાર
ડ્રેગન ફ્રૂટમાં ફાઈબરની સારી માત્રા હોય છે અને આ તમારા પાચન માટે સારુ હોય છે અને તેનાથી પેટ સંબંધિત જોડાયેલી ઘણી પરેશાનીઓ જેવી કે, કબજિયાત, અપચો અને એસિડિટીને ઓછી કરવામાં મદદ મળે છે. જો તમે દરરોજ તેને ખાશો તો તેનાથી તમને કોલોરેક્ટલ કેન્સર જેવી ગંભીર બીમારીઓને રોકવામાં મદદ મળે છે.