હિન્દુ ધર્મમાં કોઈપણ શુભ કાર્ય કરતી વખતે કપૂરનો ઉપયોગ સારી રીતે કરવામાં આવે છે. કપૂર ને હિન્દૂ ધર્મમાં શુભતાનું પ્રતીક માનવામાં આવે છે. તમામ દેવી અને દેવતાની પૂજામાં કપૂરઅર્પણ કરવાની માન્યતા છે. કપૂરને ખૂબ જ શુભ અને પવિત્ર પણ માનવમાં આવે છે. આજે અમે તમને કપૂરના એક ઉપાય વિષે જણાવવા જઇ રહ્યા છીએ જે તમને સાત પેઢી સુધી ધનવાન બનાવી શકે છે, તો આજે જ જાની લો કપૂરના આ ખાસ ઉપાય.
તમે ખૂબ જ પ્રયત્નો કરો છો છતાં પણ જો તમારું કોઈ કાર્ય સફળ ન થતું હોય તો તમે લીલું કાપડ લો. તે લીલા કપડામાં એક સોપારી અને કપૂર લપેટી લો અને પછી કોઈને ખબર ન હોઈ તેમ તેને માતા લક્ષ્મીના ચરણોમાં મૂકી દો અને આ સાથે તમારા મનની ઈચ્છા પણ બોલો. તમે સાચા મન થી માનેલી બધી મનોકામના પૂર્ણ થઈ જશે.
દર મંગળવારે માતા લક્ષ્મીના મંદિરે કપૂર, ગુલાબ, કમળના ફૂલની માળા લઈને પૂજા અર્ચના કરો. તેનાથી માતા લક્ષ્મી તમારા પર ખૂબ જ પ્રસન્ન થશે અને ઘરમાં સુખ અને સંપત્તિનો વરસાદ થશે.
દર શનિવારે સવારે વેહલા ઊઠીને સ્નાન કર્યા પછી ન્યાય ના દેવતા શનિ દેવની પૂજા કરો અને પૂજામાં ખાસ કરીને કપૂરનો ઉપયોગ કરો. આમ કરવાથી તમને દરેક ખરાબ નજરથી રક્ષા મળશે અને તમારા કર્મોનું શનિ દેવ સારું પરિણામ આપશે.