જન્મકુંડળીમાં રાહુ અને કેતુની વચ્ચે અન્ય સાત ગ્રહ આવે છે, તો એ જાતક કાળસર્પ દોષથી પીડિત છે તેમ કહેવાય છે. આવા જાતક અનેક સમસ્યાઓથી પીડિત હોય છે. આવા જાતક ન કહી શકાય ન તો સહી શકાય તેવી સ્થિતીમાં રહે છે.
કાળસર્પ યોગથી પીડિત વ્યક્તિમાં આત્મવિશ્વાસનો પણ અભાવ હોય છે. ઉપરાંત તે જે પણ કામ હાથમાં લે છે તેમાં પણ તેને નિષ્ફળતા જ હાથ લાગે છે. તેમના સ્વભાવમાં પણ ચિંતા, ઉદાસી અને હીનભાવના જોવા મળે છે. જો કે આ દોષને નિવારવા માટે શ્રાવણ માસ શ્રેષ્ઠ સમય છે. શ્રાવણ માસની પંચમીના દિવસે કેટલાક ઉપાય કરવામાં આવે તો તેમના જીવનની સમસ્યાઓનો અંત થઈ જાય છે.
1. નાગ-પંચમીના દિવસે કોઈપણ શિવમંદિરમાં અથવા તો નાગ દેવતાના મંદિરમાં નાગ-નાગણની જોડી ચડાવવી જોઈએ. આ જોડી ચાંદીની હોય તો ઉત્તમ છે નહીં તો તમે પંચધાતુ, ત્રાંબા અથવા અષ્ટ ધાતુની પણ બનાવડાવી શકો છો.
2. નાગપાંચમના દિવસે શિવમંદિરમાં 1 માળા શિવ ગાયત્રીના મંત્રનો જાપ કરવો. આ મંત્ર આ મુજબ છે, “ॐ તત્પુરુષાય વિદ્મહે, મહાદેવાય ધીમહિ તન્નોરૂદ્ર: પ્રચોદયાત્”
3. શ્રાવણ માસના સોમવારે પણ આ ઉપાય કરી શકાય છે. સોમવારે ચંદનની અગરબત્તી અને ઘીનો દીવો શંકર મંદિરમાં પ્રગટાવવો અને શિવજીને દોષમાંથી મુક્તિ માટેની પ્રાર્થના કરવી.