કરી લો માત્ર આ એક ઉપાય હનુમાનજી કરી દેશે તમારી બધી મનોકામના પૂર્ણ

હનુમાનજી ખુબજ  જલદી  પ્રસંદ થવા વાળા દેવ છે, જેની કૃપા તમારા ઉપર બની રહે એટલે તમારે મન,વચન,અને કર્મ થી પવિત્ર રેવું પડશે અને ક્યારેય ખોટું બોલવું નહી. કોઈ પણ પ્રકાર નો નશો કરવો નહિ, માસ પણ ના ખાવું , એટલું જ નહી પોતાના પરિવાર સાથે સારો વ્યવહાર  રાખો.

હનુમાન જયંતિ અથવા  મહિનાના કોઈ પણ મંગળવારે સવારે ઉઠીને સ્નાન કરીને સાફ કપડાં પહેરવા, અને એક લોટો પાણીનો ભરીને હનુમાનજી ના મંદિર પર જવું અને ત્યાં જઈને હનુમાનજી ની મૂર્તિ  ને સ્નાન કરાવવું.

પેલા દિવસે એક દાણો અડદ નો હનુમાનજી ના માથા  ઉપર મુકો અને ત્યાર બાદ તેમની 11 પ્રદિક્ષણા ભરો અને મનમાં ને મન માં તમારી ઈચ્છા હનુમાનજી ને કહો. પછી તે અડદ ના દાણાને ઘરે લાવી ને અલગ મૂકી દો.

બીજા દિવસે એક એક દાણો વધારતા જાવ અને આ બધું રોજ કરતા રહો, 41 દિવસે 41 દાણા  થશે અને ત્યાર બાદ 42 માં દિવસે એક એક દાણો ઘટાડતા જાવ ,તેથી  81 ના દિવસે 1 દાણો થઇ જશે.81 માં દિવસે જો તમે આ પૂરું કરો છો તો હનુમાન જી તમારી ઈચ્છા નું વરદાન આપી દેશે. આ દરમિયાન તમે ચડાવેલા અડદ ના દાન ને નદી માં વહાવિદો.

જે માણસ ભક્તિ ભાવથી હનુમાનજી ની ભક્તિ કરે તો થોડા સમય પછી તેને હનુમાનજી નો ચમત્કાર જોવા મળશે ,જેમ જેમ તેની આસ્થા  વધે છે તેમ તેમ  હનુમાનજી તેને પોતાની  આસપાસ હોવાનું પ્રતીત કરાવે છે. ધન્ય છે તે વ્યક્તિ ને જે હનુમાનજી નો ભક્ત છે.

Back To Top