કબરાઉ કચ્છમાં બિરાજમાન મોગલ માતા વિશે આટલી વાતો જરૂર જાણો, માં મોગલ તમારી દરેક સમસ્યા કરી દેશે દૂર…

માં મોગલના પરચા આજે પણ અપરંપાર છે, માં મોગલના દર્શન માત્રથી જ ભક્તોની માનેલી બધી મનોકામનાઓ પુરી થાય છે, તેથી ભક્તો મોટી સંખ્યામાં માં મોગલના દર્શન કરવા માટે આવતા હોય છે.

કબરાઉમાં આજે પણ માં મોગલ સાક્ષાત બિરાજમાન છે.મા મોગલ ધામ ઉપર થી આજ સુધી કોઈ પણ વ્યક્તિ દુઃખી તેને ઘરે આવી નથી અને મોગલ ના દર્શન કરવાથી તમામ લોકોના દુઃખ દૂર થઈ જતા હોય છે અને દૂરથી કબરાઉ કચ્છમાં મોગલ ના દર્શન કરવા માટે હંમેશા શ્રધ્ધાળુઓ આવતા હોય છે. મા મોગલ ના મંદિરમાં અનેક પરચાઓ આપણે સાંભળ્યા છે અને વર્ષોથી લોકો પોતાના દુઃખ દૂર કરવા માટે માં મોગલ ધામ સુધી આવતા હોય છે.

માં મોગલ ના મંદિર ના ધામમાં આ દિવસ સુધી અનેક લોકોએ માં મોગલ ના પરચા જોયા છે અને જીવનમાં દુઃખ દૂર થયા છે.થોડા સમય પહેલા મહેસાણા જિલ્લાથી ચંદુભાઈ નામનો માં મોગલ નો એક ભક્ત પોતાની માનતા પૂરી કરવા માટે માં મોગલ ધામ આવ્યો હતો.

તેણે માં મોગલ ના આશીર્વાદ લીધા અને મણિધર બાપુને મળ્યા ત્યારે બાપુએ પૂછ્યું શું માનતા હતું ત્યારે ચંદુભાઈ એ કહ્યું હતું કે થોડા સમય પહેલા તેઓ એક લગ્ન માં ગયા હતા.

લગ્ન માં તેમની એક સોના ની ચેન ખોવાઈ ગઈ હતી. અને તેને એક મહિનો ખોરી પણ મળી ન હતી. ચંદુભાઈ નો માં મોગલ ઉપર ખુબજ વિશ્વાસ હતો અને તેમણે મોગલ માતાનું નામ લેતા કહ્યું જો મારી ખોવાયેલી સોનાની ચેન મળી જશે તો હું માતા ના દર્શન કરવા કબરાવ આવશે.

જેવું માં ને યાદ કર્યા કે તરત જ ચંદુભાઈ ની સોનાની ચેન મળી ગઈ અને તરત જ તેઓ મહેસાણા થી કચ્છ કબરાઉ ધામ માતા મોગલ ના દર્શન માટે આવ્યા હતા. અને ત્યાં ના મણિધર બાપુને તમામ વાત કરી હતી.

આવા જ માં મોગલ ના ઘણા બધા ચમત્કારો સામે આવતા રહે છે. માં મોગલ ની ઉપર વિશ્વાસ રાખીને ધૂપમાં ગાયનું ઘી નાખીને રોજ ધૂપ કરો. ઘરમાં ધૂપ કરવાથી ઘરનું વાતવરણ ખુબજ સારું રહેશે અને માં મોગલના આશીર્વાદ તમારા પર બની રહશે.

Back To Top