મહિલાઓએ ભૂલથી પણ ના કરવી જોઈએ આ ભૂલ, દૂર થઇ જાય છે ઘરની સુખ શાંતિ. કહેવામાં આવે છે કે, કોઈ પણ ઘરની પ્રગતિ માટે તે ઘરની મહિલાઓ જ જવાબદાર હોય છે. મહિલાઓની તુલના માં લક્ષ્મી સાથે કરવામાં આવે છે, કારણ કે ઘરમાં તેમના દ્વારા કરવામાં આવેલા સારા કામોથી લક્ષ્મી માં પ્રસન્ન થઈને પોતાની કૃપા દૃષ્ટિ બનાવી રાખે છે. તેમજ બીજી તરફ ઘણી વાર મહિલાઓથી જાણે-અજાણ્યે અમુક એવી ભૂલ થઈ જાય છે, જે ઘરની સુખ શાંતિને નષ્ટ કરે છે. આવો તમને જણાવીએ કે કઈ છે તે ભૂલો જે મહિલાઓએ નહિ કરવી જોઈએ.
ઘરમાં સફાઈ ન રાખવી :
ઘરની સફાઈ મહિલાઓની જવાબદારી હોય છે. ઘણી વાર મહિલાઓ આ જવાબદારીને સારી રીતે નથી ભજવી શકતી અને ઘરમાં ગંદકી ભેગી થવા લાગે છે. ઘરમાં દરેક જગ્યા પર કરોળિયાના જાળા બની જાય છે અથવા ઘરના ખૂણાઓમાં કચરો પડી રહે છે. એવું કરવાથી ઘરની શાંતિ ભંગ થવા લાગે છે, અને ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થઈ જાય છે. મહિલાઓએ ઘરની સુખ શાંતિ બનાવી રાખવા માટે રોજ સફાઈ કરવી જોઈએ, અને ઘરમાં જાળા થવા દેવા જોઈએ નહિ.

સ્નાન કર્યા વગર રસોડામાં પ્રવેશ :
આજકાલની વ્યસ્ત જીવન શૈલીમાં મહિલાઓને સવારના સમયે રસોડામાં પ્રવેશ કરતા સમયે ધ્યાન નથી રહેતું કે, રસોડામાં પ્રવેશ કરતા પહેલા સ્નાન કરી લે. કહેવામાં આવે છે કે, રસોડું મંદિર સમાન હોય છે, એટલા માટે ખાવાનું બનાવતા પહેલા સ્નાન જરૂર કરવું જોઈએ. એવું ન કરવાથી અશુદ્ધ ભોજન બને છે અને ઘરના સભ્યોનું મન પણ અશુદ્ધ થવા લાગે છે, જેથી ઘરની સુખ શાંતિ નષ્ટ થવા લાગે છે. એટલા માટે હંમેશા સવારે ઉઠીને પહેલા સ્નાન કર્યા પછી જ રસોડામાં પ્રવેશ કરો. આવું કરવું ઘરની પ્રગતિ માટે સારું હોય છે.
સૂર્યાસ્ત પછી કચરો વાળવો :
એવી માન્યતા છે કે, સૂર્યાસ્ત પછી ઘરમાં કચરો વાળવો જોઈએ નથી. એવું કરવાથી ઘરમાં ધન હાનિ થાય છે, કારણ કે સૂર્યાસ્ત સમયે લક્ષ્મી માં ઘરમાં વિરાજમાન થાય છે, અને કચરો વાળવાથી તે ઘરની બહાર જતા રહે છે. જો કોઈ કારણ સર કચરો વાળવો જ પડે તો તેને ઘરની બહાર ન કાઢો. તેની કોઈ થેલીમાં ભરી દો.
વાળના ગુચ્છા ગમે ત્યાં ફેંકવા :
મહિલાઓની ખાસ આદત હોય છે કે તે વાળમાં કાંસકી ફેરવ્યા પછી ખરેલા વાળના ગુચ્છાને ક્યાંય પણ ફેંકી દે છે, અને વાળ આખા ઘરમાં ઉડતા રહે છે. આવું કરવાથી ઘરની સુખ શાંતિમાં ઘટાડો તો થાય જ છે, પણ સાથે જ ઘનની અછત પણ થાય છે.

સવાર સાંજ દીવો ના પ્રગટાવવો :
આજકાલની મહિલાઓ પોતાની દૈનિક ક્રિયાઓમાં એટલી વધારે વ્યસ્ત થઈ જાય છે કે, તે ઈશ્વરનું ધ્યાન પણ નથી કરતી અને સવાર સાંજ ઘરના મંદિરમાં દીવો પણ નથી પ્રગટાવતી. એવું કરવું તેમના માટે અને તેમના આખા પરિવાર માટે અત્યંત કષ્ટકારી સાબિત થઇ શકે છે. મહિલાઓએ ઘરમાં સવાર સાંજ દીવો જરૂર પ્રગટાવવો જોઈએ, અને ભગવાનની પૂજા કરવી જોઈએ. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને સુખ સમૃદ્ધિ આવે છે.
ખાવાનું બનાવ્યા પછી ગેસ સાફ ન કરવો :
મહિલાઓ ઉતાવળમાં ખાવાનું બનાવ્યા પછી ગેસ સાફ કરવાનું ભૂલી જાય છે અને ગંદા ગેસ પર જ ફરીથી ખાવાનું બનાવે છે. એવું કરવાથી ભોજનની શુદ્ધતા નષ્ટ થઈ જાય છે, અને સાથે જ ઘરની સુખ શાંતિ પણ ખતમ થઈ જાય છે.
જો તમે પણ આવી કોઈ ભૂલ કરો છો, તો ઘરની સુખ શાંતિ માટે પોતાની આ આદતોને જલ્દી જ બદલી દો, કારણ કે ઘરની પ્રગતિની સંપૂર્ણ જવાબદારી તમારી જ છે.