સારંગપુર હનુમાનજી દાદાના મંદિરે ઘણા ભક્તો દર્શને ગયા હશે, પરંતુ મોટાભાગના લોકોને આ વાતની ખબર જ નહીં હોય.

આપણા ભારત દેશમાં ઘણા બધા પ્રાચીન મંદિરો આવેલા છે, પરંતુ દરેક મંદિર પાછળ અલગ અલગ પ્રકારના અનેક રહસ્યો પણ છુપાયેલા જોવા મળતા હોય છે અને ઘણા મંદિરોમાં તો નાના મોટા પ્રકારના ચમત્કાર પણ થતા જોવા મળે છે, આથી આવા દરેક મંદિરમાં દેવી કે દેવતાઓના દર્શન કરવા માટે અનેક દર્શનાર્થીઓ દુરદુરથી દર્શન માટે આવતા હોય છે અને દરેક ભક્તોની ભગવાન મનની ઈચ્છા પુરી કરતા હોય છે.

એવું જ એક મંદિર ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના સારંગપુરમાં હનુમાનદાદાનું એક પ્રાચીન મંદિર આવેલું છે, જે મંદિરને કષ્ટભંજન હનુમાનદાદાના મંદિર તરીકે ઓળખવામાં આવે છે. આ કષ્ટભંજન હનુમાનદાદાના મંદિર પાછળ ઘણી અનેક પ્રકારની વિશેષતાઓ રહેલી જોવા મળે છે. આ મંદિરમાં ભગવાન શનિદેવ હનુમાનજીદાદાના ચરણોમાં બિરાજમાન છે.

આ કષ્ટભંજન હનુમાનજી દાદાના મંદિર પાછળ એક પૌરાણિક કથા સાથે જોડાયેલી છે, તો જે વખતે શનિદેવનો ગુસ્સો વધી ગયો હતો ત્યારે તે સમયે ઘણા લોકોને અનેક તકલીફોનો સામનો કરવો પડ્યો હતો અને તે સમયે લોકોએ શનિદેવના ગુસ્સાને શાંત કરવા માટે હનુમાનજી દાદાને પ્રાર્થના કરી હતી.

તે સમયે હનુમાનદાદા તેમના ભક્તોના દુઃખો દૂર કરવા માટે આગળ આવ્યા હતા અને હનુમાનજી દાદા હંમેશા માટે તૈયાર જ હોય છે.ત્યારે હનુમાનજીએ ભક્તોની પ્રાર્થના સાંભળી અને ત્યારે શનિદેવને આ વાતની જાણ થઇ તો શનિદેવે હનુમાનજી દાદાથી રક્ષણ માટે સ્ત્રીનું રૂપ ધારણ કરીને હનુમાનદાદાના ચરણોમાં નમીને વંદન કર્યા હતા.

ત્યારથી જ આ કષ્ટભંજન હનુમાનજી દાદાના મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શને માટે આવતા જતાં હોય છે અને દરેક ભક્તોના દુઃખો હનુમાનજીદાદા દૂર કરતા હોય છે અને તેમનું જીવન આનંદ થી ભરી દેતા હોય છે.

Back To Top