દોસ્તો ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલું મોગલ માતાનું ધામ પોતાના ભક્તોના પરચાઓ પૂરા કરવા માટે જાણીતું છે. અહીં માતા મોગલના પરચા અપરંપાર છે. અહીં જો કોઈ વ્યક્તિ પૂર્ણ આસ્થા સાથે આવે છે તો તેની બધી જ મનોકામનાઓ મોગલ માતા પુરી કરતા હોય છે.અહીં બિરાજમાન મણીધર બાપા પણ હંમેશા કહેતા હોય છે કે જો તમે માતાજીમાં પૂરી આસ્થા અને વિશ્વાસ રાખશો તો મોગલ માતા તમારી મનોકામના અવશ્ય પૂરી કરશે.
જોકે તમારે માતાજીમાં પૂરી આસ્થા બનાવીને રાખવી ખૂબ જ જરૂરી છે. આજના આ લેખમાં અમે તમને એક પરચા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. હકીકતમાં આણંદમાં નિવાસ કરતા એક વ્યક્તિને માતા મોગલે પરચો આપ્યો હતો અને ત્યારબાદ આ વ્યક્તિ કબરાઉ પોતાની માનતા પૂરી કરવા માટે આવ્યા હતા અને મણીધર બાપા સાથે વાત કરી હતી. હકીકતમાં ઘણા લાંબા સમયથી તેમનું ઘર વેચાઈ રહ્યું નહોતું, જેના લીધે હિમાંશુભાઈએ માતા મોગલ ની માનતા રાખી હતી અને કહ્યું હતું કે જો તેઓનું કામ પૂરું થઈ જશે તો તેઓ માતાજીના ધામમાં આવીને પોતાની માનતા પૂરી કરશે.
હિમાંશુભાઈએ મણીધર બાપા સાથે વાત કરતા કહ્યું હતું કે તેઓએ 1 લાખ 3 હજાર રૂપિયા ની માનતા રાખી હતી અને તેઓનું કામ પૂરું પડ્યું હતું.આ દરમિયાન મણીધર બાપા એ કહ્યું હતું કે માતા પૈસાના ક્યારે ભૂખ્યા નથી. તેઓ તો હંમેશા ભક્તોના ભાવ ના ભૂખ્યા હોય છે અને હિમાંશુભાઇની તેઓએ માનતા સ્વીકારી લીધી છે.
આ સિવાય બાપા એ આગળ વાત કરતા કહ્યું હતું કે આ પૈસા માંથી અડધા પૈસા તમે તમારી પત્નીને અને બહેનને આપી દેજો.મણીધર બાપા એ હિમાંશુભાઈએ આપેલા બધા જ પૈસામાં ₹1 ઉમેરીને બધા જ પૈસા પરત આપ્યા હતા અને હિમાંશુભાઈનું કામ સફળ થયું હતું. આ પરથી કહી શકાય કે જો તમે માતાજીમાં સાચી શ્રદ્ધા અને પૂરો વિશ્વાસ રાખશો તો મોગલ માતા તમારી બધી જ મનોકામનાઓ પૂરી કરશે.