બોલીવુડ વિશે તો આપણે બધા જાણીએ જ છીએ, દરેક સ્ટાર્સ એમની પસંદગી પ્રમાણે લગ્ન કરવા ઈચ્છે છે. ઘણા સ્ટાર્સ એવા પણ છે જેની ઉંમર ઘણી થઇ ગઈ હોવા છતાં પણ હજી સુધી લગ્ન કરવા તૈયાર થતા નથી. આજે અમે તમને એવા ૭ સ્ટાર્સ વિશે જણાવીશું જે અભિનેત્રીઓ મુસ્લિમ હોવા છતાં હિંદુ છોકરા સાથે લગ્ન કરીને એમની સાથે જીવન વિતાવી રહી છે.. તો ચાલો જાણી લઈએ એ અભિનેત્રીઓ વિશે..
મધુબાલા અને કિશોર કુમાર
મધુબાલા કિશોર કુમારની બીજી પત્ની હતી. મધુબાલા મુસ્લિમ પરિવારમાંથી આવતી હતી. તેનું અસલી નામ મુમતાઝ જહાં બેગમ દહલવી હતું. એવું કહેવામાં આવે છે કે મધુબાલા દિલીપકુમાર સાથે પ્રેમમાં હતા, પરંતુ મધુબાલાના પરિવારના સભ્યો આ સંબંધ માટે તૈયાર નહોતા. જે બાદ તેણે કિશોર કુમાર સાથે લગ્ન કર્યા.
માના કાદરી અને સુનીલ શેટ્ટી
અભિનેતા સુનિલ શેટ્ટીએ 1991 માં માના કાદરી સાથે લગ્ન કર્યા. તે જ સમયે, બંનેને પ્રથમ નજરમાં જ પ્રેમ થઈ ગયો અને 9 મહિના પછી બંનેએ લગ્ન કરી લીધા.
શબાના રજા અને મનોજ બાજપેયી
મનોજ બાજપેયીએ બે લગ્ન કર્યા છે. તેમના પહેલા લગ્ન દિલ્હીની એક યુવતી સાથે થયાં હતાં. જો કે, આ લગ્ન લાંબા સમય સુધી ચાલ્યા ન હતા. આ પછી, તેણે 2006 ના બીજા વર્ષમાં બોલિવૂડ અભિનેત્રી નેહા સાથે લગ્ન કર્યા. નેહાનું અસલી નામ શબાના રઝા છે.
સુજૈન ખાન અને ઋતિક રોશન
હ્રિતિક રોશને મુસ્લિમ યુવતિ સુજૈન ખાનને તેની જીવનસાથી બનાવી હતી. જો કે હવે બંનેના છૂટાછેડા થઈ ગયા છે. પંજાબી પરિવારમાંથી આવતા હ્રિતિક અને મુસ્લિમ પરિવારમાંથી આવતી સુજૈન વચ્ચે ક્યારેય ધર્મની દિવાલ આવી નહોતી. વર્તમાનમાં એમને બે પુત્ર છે.
દિયા મિર્જા અને સાહિલ સંઘ
દિયા મિર્ઝા અને સાહિલ સંઘાની પ્રથમ મુલાકાત 2009 માં થઈ હતી. ત્યાર થી આ બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે અને લાંબા સમય રહ્યા બાદ 2014 માં લગ્ન કરી લીધાં હતાં.
નરગિસ અને સુનીલ દત્ત
સુનીલ દત્તે બોલિવૂડની જાણીતી અભિનેત્રી નરગિસ સાથે લગ્ન કર્યા હતા. નરગિસ મુસ્લિમ પરિવારમાંથી આવતી હતી. પરંતુ સુનિલ નરગિસને એટલો પ્રેમ કરતી હતી કે તેણે ધર્મની દીવાલ તોડી નાખી અને નરગિસને તેનો જીવનસાથી બનાવ્યો. બંનેની પહેલી મુલાકાત મધર ઈન્ડિયાના સેટ પર થઈ હતી.
માન્યતા અને સંજય દત્ત
હિન્દુ પરિવાર માંથી આવતા સંજય દત્તે માન્યતા સાથે લગ્ન કર્યા છે. માન્યતાનું અસલી નામ દિલનવાજ શેખ છે. માન્યતાએ બોલિવૂડની કેટલીક બી-ગ્રેડ ફિલ્મોમાં કામ કર્યું છે. શરૂઆતમાં ફિલ્મોમાં, માન્યતા સારા ખાન તરીકે જાણીતી હતી.