મોં માંથી આ રીતે દૂર કરો લસણની દુર્ગંધ, જાણો કઇ રીતે ???

લસણ ભોજનમાં સ્વાદમાં બમણો વધારો કરી દે છે. સાથે જ લસણ એક ઉત્તમ ઔષધિ પણ છે જે અનેક તકલીફોથી શરીરનું રક્ષણ કરે છે. પરંતુ લસણનું સેવન કરવાથી સૌથી મોટી સમસ્યા ઉદ્ભવે છે મોંમાંથી વાસ આવવાની. લસણની તીવ્ર વાસ જમ્યા પછી પણ મોંમાંથી આવે છે.

લસણમાં સલ્ફરની માત્રા વધારે પ્રમાણમાં હોય છે. આ સલ્ફર રક્તમાં ભળી જાય છે અને તેની વાટે શ્વાસ નળી, ફેંફસાં અને મોંમાં જમા થાય છે. લસણની સુગંધ મોંમાંથી તો બ્રશ કરવાથી દૂર થઈ જાય છે પરંતુ શરીરમાં રહેલા સલ્ફરની અસર વ્યક્તિને પરસેવાની વાસ રૂપે થાય છે.

આ સમસ્યાનો સરળ ઉપાય એ છે તે તમે જ્યારે પણ લસણનું સેવન કરો ત્યારે તેની સાથે તુલસી, ફુદિનો, અજમો જેવી વસ્તુઓનું પણ સેવન કરો.

આ ઉપરાંત દિવસે જો કોઈ લસણવાળી વસ્તુનું સેવન કરો તો ત્યાર પછી સફરજન ખાઈ લેવું. નિષ્ણાંતોના મતે સફરજનમાં લસણની સુગંધને દૂર કરવાની ક્ષમતા છે. તેથી જો તમે લસણ ખાધા પછી સફરજન ખાઈ લેશો તો શ્વાસમાંથી વાસ નહીં આવે.

Back To Top