જેસલનો જન્મ 14મી સદી ની આસપાસ કચ્છ દેદાવંશના લાખાજી જાડેજાના પુત્ર ચંદોડી જાડેજાના ત્યાં થયો હતો.અંજાર તાલુકાનુ ગામ જેસલને ઘરાસમાં મળ્યું હતું પણ ઘરાસના હિસ્સામાં વાંધો પડતાં બહારવટિયો ચઢ્યો હતો.જેસલ જાડેજાની આખા કચ્છમાં હાક હતી.અને તેથી જ કહેવાતુ કચ્છની ધરતીનો કરોડો નાગ એટલે જેસલ જાડેજા.પરંતુ જેસલ ને ભાભીએ આપેલા કડવા શબ્દ યાદ રહી ગયા જેથી કીધુ તે કામ કરવા નીકળી પડ્યા.
અડધી રાત થઈ ગયા છતાં સૌરાષ્ટ્રના સંત સાસતીયા કાઠીને ત્યાં ભજન મંડળી જામેલી હતી.સાસતીયા કાઠી જાગીરદાર હતો તેની પાસે તોરી નામની પાણીદાર ઘોડી હતી.તોરી ઘોડીની ખ્યાતિની વાતો બહાદુર બહારવટિયા જેસલ જાડેજાના કાને પડી જેથી જેસલે આ ઘોડીને કોઈપણ કાળે હાંસિલ કરી લેવાનો નિર્ણય કર્યો હતો.એટલા માટે જ જેસલ જાડેજા રાહ જોઈને સૌ કોઈ ભજનમાં મગ્ન હોય ત્યારે નજર ચૂકવીને તોરી ઘોડીને ઉઠાવી જવા અહી સાસતીયા કાઠીને કિનારે આવી પહોંચે છે.અને કાઠી રાજ ના ઘોડાર માં ગુસી જાય છે.
ઘોડી જેસલ ને જોઇને ખીલો જમીનમાંથી કાઢીને બહાર નીકળી જાય છે.ઘોડીના રખેવાળ એ ઘોડીને પાછી બાંધવાની પ્રયત્ન કરી તેથી ઘોડીના રખેવાળ ને જોઇને જેસલ ઘાસમાં છુપાઈ ગયો.રખેવાળ એ ફરી ખીલો જમીનમાં ખોસી દીધો પણ, આ ખીલો ઘાસમાં છુપાયેલા જેસલના હાથ ની આરપાર નીકળી ગયો અને જેસલ સખત રીતે જકડાઈ ગયો. છતાં તેણે એક શિશ્કરો પણ ના કર્યો અને મુંગો પડ્યો રહ્યો.
પાઠ પૂજન પૂરું થયા બાદ સંત મંડળી માં પ્રસાદ વહેંચાવા લાગ્યો ત્યારે એક વ્યક્તિનો પ્રસાદ વધ્યો ત્યારે પ્રસાદ કોનો વધ્યો તે શોધવાનું ચાલું થયું. ઘોડીએ ફરીથી નાચકુદ કરવાની શરૂઆત કરી અને તેથી તેના રખેવાળ ને થયું કે નક્કી કોઈ અંદર છે.અને અંદર જોયુ ત્યારે જેસલ જાડેજા ખીલા થી વિંધાયેલો હતો. રખેવાળ ખીલો કાઢી જેસલ ને કાઠી રાજ પાસે લઈ ગયો.જેસલની વીરતા જોઈ તેને બિરદાવ્યો પછી કાઠીરાજે તેનુ નામ ધામ પૂછ્યું.
જેસલ એ કીધું હું કચ્છનો બહારવટિયો છું અને તમારી તોરી ને લેવા આવ્યો છું.કાઠી રાજે કહ્યું તે તોરી રાણી માટે આટલી બધી મુશ્કેલીઓ ઉઠાવી તો જા તોરી એ તારી.જેસલ એ ગેરસમજ દૂર કરતા કહ્યું કે હું તો તમારી ધોડી ની વાત કરું છું.
સાસતીયા કાઠી એ કહ્યું તો ઘોડી પણ તમારી સમજો.ખુશી થી લઇ જાવ.આજ રીતે જેસલ ને તોરલ અને તોરી ઘોડી બંને મળી ગયા.તોરલ સાથે જેસલ કચ્છ તરફ વળ્યો સૌરાષ્ટ્ર અને કચ્છ વચ્ચે દરિયા માર્ગ આવતો હોવાથી જેસલ તોરલ વહાણ માં બેઠા દરિયાની અધવચ્ચે જબરદસ્ત તોફાન આવ્યું આ તોફાન જોઈ દરેક મર્દો કાયરતાની માફક કાંપવા લાગ્યું.અને તોરલ શાંત મૂર્તિ ની જેમ બેઠી હતી.
તેમના મોઢા ઉપર ડર ન હતો અને શાંત પ્રકાશિત હતી આ જોઈ જેસલ તેના ચરણો માં પડી જાય છે.અને જેસલ કહે છે સતી તોરલ આ દરિયો ગાંડો થયો છે, ડુંગરા જેટલા મોજા આવે છે અને આ વહાણ હાલક ડોલક થઈ રહ્યું છે.ડૂબવા થઈ રહ્યું છે. આવા સમયે આ મોમો-તના તાંડવ આગળ તમામમુસાફરો થર થર ધ્રુજે છે.આ તાંડવ થી હું પણ ધ્રુજુ છું ત્યારે તને ડર નથી લાગતો.
હે સતી તને મો-ત ની બીક નથી લાગતી. ત્યારે સતી ના ભજન સ્વરૂપે તેના શબ્દો..પાપ તારું પ્રકાશ જાડેજા ધરમ તારો સંભાળ રે..તારી બેડલીને બૂડવા નહીં દઉં, તારી નાવડીને ડૂબવા નહિ દઉં તેના જવાબ મા જેસલ પણ તેના પાપો સ્વીકારે છે અને કહે છે.
હરણ હરિયા વનના મોરલા મારિયા તોરી સરોવર પાર જઈ ખવધન માંળીયા મેતો લૂંટી કુંવારી જાન રે વગેરે અનેક પાપો ના જેસલ સ્વીકાર કરે છે આ રીતે તેના અંતર ની નિર્દયતા દૂર થઈ ગઈ.અભિમાન પુરું થઈ ગયું અને દરિયો પણ શાંત થઈ ગયો. થોડા જ સમયમાં તેના જીવન માં ફેર આવ્યો.હ્ર્દય પરિવર્તન થતા મહા માર્ગે દીક્ષિત થયા.