જમ્યા પછી ત્રણ ચાર કેળા ખાવાથી અશક્તિ દૂર થાય છે.ખજુર ખાઈ ઉપરથી ઘી મેળવેલું ગરમ દૂધ પીવાથી ઘા વાગ્યાથીકે ઘા માંથી પુષ્કળ લોહી વહી જવાથી આવેલી નબળાઈ દૂર થાય છે.
મોસંબીનો રસ પીવાથી શરીરની નબળાઈ દૂર થાય છે.પાંચ પેશી ખજુર ઘીમાં સાંતળીને ભાત સાથે ખાવાથી અનેઅર્ધી કલાક ઉંઘ લેવાથી નબળાઈ દૂર થઈ શક્તિ અને વજન વધે છે.
દૂધમાં બદામ પીસતા, બદામ, એલચી, કેસર ખાંડ નાખીને ઉકાળીને પીવાથી ખુબ શક્તિ આવે છે.મેથીના કુમળા પાન બનાવીને ખાવાથી લોહીનો સુધારો થઈ શક્તિઆવે છે.
સુકી ખારેકનું ૨૦૦ ગ્રામ ચૂર્ણ બનાવી તેમાં ૨૫ ગ્રામ સુંઠનો ચુર્ણનાખી તૈયાર કરવું અને પાંચ થી ૧૦ ગ્રામ ચૂર્ણ રોજ ૨૦૦ ગ્રામદૂધમાં ઉકાળી થોડી ખાંડ નાખી રોજ સવારે પીવાથી શક્તિ આવે છે.
ટંકણખારને બારીક વાટી તેનો ભુકો ઠંડાપાણી સાથે ફાકવાથી પથરીનો ચુરો થઈપેશાબ વાટે બહાર નીકળી જાય છે.
કળથીનો સુપ બનાવી તેમાં ચપટીસુરોખારમેળવી પીવાથી પથરી મટી જાય છે અનેપથરીને લીધે થતી ભયંકર પીડા મટે છે.
ઘઉં અને ચણાને સાથે ઉકાળીને તેના ઉકાળામાં ચપડી સુરોખાર નાંખી ઉકાળો પીવાથી પથરી ભાંગીને ભુકો થઈ જાય છે.
મહેંદીના પાનનો ઉકાળો પીવાથી પથરી માટેમકાઈના દાણા કાઢી લીધા પછી ખાલી ડોડાને બાળી તેની ભસ્મ બનાવી ચાળીનેઆ ભસ્મ ૧ ગ્રામ જેટલી સવાર સાંજ પાણી સાથે લેવાથી પથરીનું દર્દ તથા પેશાબની અટકાયત મટે છે.